રાજયમાં આજે 580 નવા કોરોનાના કેસ નોંધાયા; 391 દર્દીને સારવાર બાદ અપાઇ રજા
Live TV
-
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 580 કેસ નોંધાયા છે. જ્યારે 391 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે રાજ્યમાં સાજા થવાનો દર 98.83 ટકા થયો છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 229 કેસ. સુરત શહેરમાં 87, વડોદરા શહેરમાં 33, મહેસાણામાં 29, વલસાડમાં 23, ગાંધીનગર શહેરમાં 20, કચ્છમાં 19, નવસારીમાં 19, સુરત જિલ્લામાં 19, ભાવનગર શહેરમાં 11, ગાંધીનગરમાં 11, જામનગર શહેરમાં 11 કેસ નોંધાયા છે.
રાજયમાં કુલ 3478 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 12,18,817 દર્દીને સારવાર બાદ રજા અપાઇ છે. અત્યાર સુધીમાં કુલ 11,15,20,334 લોકોને કોરોની રસી અપાઇ છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 39,438 લોકોને કોરોની રસી અપાઇ છે.
