ગાંધીનગર ખાતે રિદ્ધિ પરમાર દ્વારા આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો
Live TV
-
શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી
નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ડૉ. અંકુર પરમાર અને સોનાલી પરમારની દીકરી રિદ્ધિ પરમારનું આરંગેત્રમ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહી રિદ્ધિ પરમારને શુભેચ્છા પાઠવી તેની ઉત્તરોતર પ્રગતિ કરે તેવા આશિર્વાદ આપ્યા હતા. પ્રણાલી મહેતા ગાંધી, રિદ્ધિ પરમારના કલા ગુરુનો આશીર્વાદ લઇ આરંગેત્રમ કાર્યક્રમ યોજ્યો હતો. સાથોસાથ દૂરદર્શનના ઉત્તમ કલાકારો ગુરુ અપર્ણા મેનોન, વાયોલીન વાદક પ્રેમકિરણ મેનોન, વાસળી વાદક રાજેન્દ્ર નાયરની સાથે સહાયક રજીસ્ટ્રાર ઘનશ્યામ દરબાર, ગુજરાત સરકારના પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા હાજર રહ્યા હતાં.
