રાજય સરકારનો નગરપાલિકા તથા મહાનગરપાલિકામાં ઢોરવાડા બનાવવાનો નિર્ણય
Live TV
-
રાજય સરકારે નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારોમાં ઢોરવાડા બનાવવાનો નિર્ણય કર્યો. જેથી કરીને નાગરિકો,પશુપાલકો તથા પશુઓને મુશ્કેલી ન પડે.મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે,આ માટે પ્રથમ તબક્કામાં 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઇ છે અને તેમાં વધારો કરાશે.જે પશુપાલકો પાસે વ્યવસ્થા ન હોય તેઓ પોતાના પશુઓ ઢોરવાડામાં રાખી શકશે જયાં પશુઓની સારસંભાળનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.એવી જ રીતે રખડતા ઢોરને ઢોરવાડા સુધી પહોંચાડવાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, ઢોરવાડામાં રખાયેલા ઢોર માટે પાણી, રોડ જેવી વ્યવસ્થા પૂરી પડાશે.તેમણે ભારપૂર્વક કહ્યું કે,રાજયના નાગરીકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા રાજય સરકાર પ્રતિબદ્ધ છે.
