રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 419 કોરોના કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં શનિવારે કોરોનાના નવા 419 કેસ નોંધાયા છે. જ્યારે 218 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે રાજ્યમાં સાજા થવાનો દર 98.92 ટકા થયો છે. 170 કેસો સાથે અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. તો સુરતમાં 84, વડોદરામાં 38, ભાવનગરમાં 33, વલસાડમાં 13, ગાંધીનગર અને રાજકોટમાં 12-12 કેસ નોંધાયા છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 43 હજાર 49 લોકોને રસી આપવામાં આવી હતી. આ તરફ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 હજાર 940 કેસ નોંધાયા છે. જ્યારે 12 હજાર 425 દર્દીઓ સાજા થયા છે. છેલ્લાં 24 કલાકમાં 20 દર્દીના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 91 હજાર 779 થઇ છે.
