Skip to main content
Settings Settings for Dark

વિજય રૂપાણીના DNA સેમ્પલ થયા મેચ, રાજકોટમાં અંતિમ સંસ્કાર

Live TV

X
  • અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ હવે મૃતદેહોના ડીએનએ ટેસ્ટ કરીને પરિવારજનોને મૃતદેહો સોંપાઈ રહ્યા છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના  મૃતદેહના DNA મેચ થયાનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. 

    વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે

    હવે વિજય રૂપાણીના મૃતદેહને રાજકોટ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પૂરા રાજકીય સન્માન સાથે રાજકોટમાં અંતિમ વિધિ કરવામાં આવશે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયાની ખાતરી કરી હતી.

    તો બીજી તરફ રાજકોટના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટીમાં આવેલા વિજય રૂપાણીના ઘરે અંતિમ દર્શનની તૈયારી કરવામાં આવી છે. તેમજ પોલીસે અંતિમયાત્રાના એક કલાક પહેલા રસ્તાઓને બંધ કરવા માટેનું જાહેનામું બહાર પાડ્યું છે.

    રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે

    વિજયભાઈ રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં કરવાનો નિર્ણય કરાયો છે. આજે તેમના પાર્થિવદેહને રાજકોટ લઈ જવામાં આવશે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં વિજય રૂપાણીના નિવાસ સ્થાન પર પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
apply