સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે
Live TV
-
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ દેશ ભરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવાશે ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વને લઈ સોમનાથ સ્થિત ભાલકા તીર્થમાં પણ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાશે. બે વર્ષ કોવિડ દરમિયાન કેટલાક ચુસ્ત નિયમોનું ભક્તોએ પાલન કરવું પડ્યું હતું. હવે તેમાં છૂટછાટ મળશે. તો દેશ-વિદેશના ભાવિકોને સોશ્યિલ મીડિયાનાં માધ્યમથી પણ દર્શન થશે. આજનાં દિવસે ખાસ ભગવાનના વાઘા બદલી તેમજ સવાર, બપોર, સાંજ તેમજ રાત્રિના મહાઆરતી કરવામાં આવે છે. ભાલકા મંદિર પ્રત્યક્ષ દર્શન માટે ખુલ્લું રહેશે.પૂજારી દ્વારા ત્રણેય પ્રહરની પૂજા થશે.જન્માષ્ટમીને રાત્રિનાં 12.00 કલાકે મહાપૂજા અને કૃષ્ણ જન્મોત્સવ થશે.
