કેરિકોમ સમૂહના દેશો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત
Live TV
-
કેરિકોમ દેશોમાં સામુદાયિક વિકાસ પરિયોજનાઓ માટે 14 મિલિયન અમેરિકન ડૉલરનું અનુદાન
કેરેબિયન દેશો સાથે ભારતના ઐતિહાસિક તથા વધુ ગાઢ સંબંધોને નવી ગતિ મળે તે હેતુથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલ પર ન્યૂયોર્કમાં કેરિકોમ નેતાઓની એક બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની મહાસભા બાદ પંદર કેરિકોમ દેશોના નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
ભારતે પ્રસ્તાવ મૂક્યા બાદ આ બેઠકનું આયોજન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવિધ દેશોના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં આયોજીત આર્થિક તથા જળવાયુ પરિવર્તનના અનેક પડકારો જ્યારે દુનિયા સમક્ષ છે ત્યારે બધા જ દેશોએ સાથે મળીને આ અંગે લડવું જ રહ્યું એ બાબત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ન્યુયોર્કમાં આયોજીત , બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન કર્યુ હતુ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સાથે સાથે બ્લુમબર્ગ ગ્લોબલ બિઝનસ ફોરમમાં 43 મોટી કંપનીઓના સીઇઓ અને સરકારના પ્રમુખ સામેલ થયા હતા. "વૈશ્વિક સ્થિરતા" એ આ સંમેલનનો મુખ્ય એજન્ડા છે.
સંમેલનને પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ભારતની જનતાએ એવી સરકાર ચૂંટી છે કે જેણે દેશમાં ધંધાકીય વાતાવરણને સુદ્રઢ કરવા માટે મજબૂત પગલાં લીધા છે. કોર્પોરેટ ટેક્સ ઘટાડાના નિર્ણય અંગેનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. તો વિકાસ કાર્યમાં અડચણરૂપ 50થી વધુ કાયદાઓને નાબૂત કરી દેવાયા છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, ભારતમાં રોકાણ કરવાની આ સુવર્ણ તક છે. તેમણે કહ્યું કે અમારી સરકારે 5 ટ્રીલીયન ડોલરની ઈકોનોમી હાંસલ કરવા કમર કસી છે.