ડેલ્ટા વેરિયન્ટઃ U.K.ના PM બોરીસ જોન્સને કોરોના નિયંત્રણ હટાવવાનું મોકૂફ રાખ્યું
Live TV
-
21 જૂનથી U.K.માં કોરોના નિયંત્રણો હટાવવાની યોજના હતી પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની અસરકારકતાને જોતાં નિયંત્રણોને વધુ એક મહિના સુધી યથાવત રખાશે.
21 જૂનથી U.K.માં કોરોના નિયંત્રણો હટાવવાનું આયોજન હતું, પરંતુ કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની અસરકારકતાને જોતાં નિયંત્રણોને વધુ એક મહિના સુધી યથાવત રખાશે. પ્રધાનમંત્રી બોરીસ જોન્સને આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે "જો નિયંત્રણો હટાવી લેવામાં આવશે તો વધુ ચેપી એવો ડેલ્ટા વેરિયન્ટ ઝડપી ફેલાશે અને તેના કારણે વધુ લોકો મૃત્યુ પામશે"
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશની આરોગ્ય સેવાને વધુ સમય આપવો જોઈશે કેમ કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કેટલાક વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. સાથે આ ડેલ્ટા વેરિયન્ટ ઘણો ચેપી છે. જેને ધ્યાને લઈને કોરોના નિયંત્રણો હાલ પુરતાં યથાવત રહશે. હવે U.K.માં 19 જૂલાઈ સુધી કોરના નિયંત્રણો યથાવત રહેશે.
