મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉઝબેકિસ્તાન પ્રવાસનો ત્રીજા દિવસ
Live TV
-
ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ બુખારાના ગર્વનર ઓક્તામ બારનોયેવ સાથે મૂલાકાત બેઠક યોજી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. જેમાં મુખ્યમંત્રીએ બુખારાના ગર્વનર ઓક્તામ બારનોયેવ સાથે મૂલાકાત બેઠક યોજી હતી. જેમાં સ્માર્ટ સિટીઝ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આઇ.ટી. એનેબલ્ડ સર્વિસીઝ ઉપરાંત ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ફૂડ પ્રોસેસીંગ જેવા ક્ષેત્રોમાં ગુજરાત - ઉઝબેકિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગની તકો અંગે ચર્ચા વિચારણાઓ કરી હતી. મુખ્યમંત્રીએ બૂખારાના ગર્વનરને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવીને ગુજરાતમાં આ બધા જ ક્ષેત્રોમાં રહેલી તકોની સમગ્ર ઇકોસિસ્ટમની સંભાવનાઓ સાથે યોગ્ય ભાગીદારો શોધવામાં ગુજરાત મૂલાકાત ઉપયુકત બનશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ બુખારાના ગર્વનરને વડનગરના પ્રાચીન તોરણની પ્રતિકૃતિ સ્મૃતિ રૂપે અર્પણ કરી હતી.