અમિત શાહ આજે જમ્મુમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદઘાટન થશે
ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર ભગવાન વિષ્ણુના સ્વરૂપ વેંકટેશને સમર્પિત છે. મંદિરને તિરુમાલા મંદિર, તિરુવીર મંદિર અને તિરુપતિ બાલાજી જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. 62 એકરમાં ફેલાયેલા આ મંદિરનું નિર્માણ 33 કરોડના ખર્ચે બે તબક્કામાં કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત યોજનામાં વેદ ધર્મશાળા, ખંડો, રહેણાંક ભવન અને સ્ટાફ ક્વાર્ટર્સ, તેમજ યાત્રાળુઓ માટે સુવિધા સંકુલ, કલ્યાણ મંડપમ જેવા અનેક તીર્થસ્થળો અને અન્ય શૈક્ષણિક અને વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.