કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું, કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો
Live TV
-
રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું છે, જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનને બહુમતી મળી છે.