કેન્દ્રિય ગૃહમંત્રીના અધ્યક્ષપદે અમરનાથ યાત્રાની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષપદે અમરનાથ યાત્રાની તૈયારીની સમીક્ષા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ. જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લા, ગુપ્તચર બ્યુરોના વડા તપન ડેકા, ઉત્તર કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી, સીઆરપીએફના મહાનિયામક એસ.એસ.થાઓસેન અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર હતા. 62 દિવસ ચાલનારી અમરનાથ યાત્રા, પહેલી જુલાઇએ શરૂ થશે અને 31મી ઓગષ્ટે પૂરી થશે.