કેરળના દરિયાકાંઠે આજ રાતથી 52 દિવસ માટે યાંત્રિક બોટ દ્વારા માછીમારી પર પ્રતિબંધ
Live TV
-
પ્રતિબંધ આવતા મહિનાની 31 તારીખ સુધી અમલમાં રહેશે
કેરળના દરિયાકાંઠે મિકેનાઇઝ્ડ બોટ દ્વારા માછીમારી પર આજે મધરાતથી 52 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ પ્રતિબંધ આવતા મહિનાની 31 તારીખ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમિયાન કેરળના બંદરો પરથી લગભગ 4,000 માછીમારી બોટ ચલાવી શકશે નહીં. પરંપરાગત માછીમારી બોટને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકારે અન્ય રાજ્યોના માછીમારીના જહાજોને આજે મધ્યરાત્રિ પહેલા કેરળના દરિયાકાંઠેથી નીકળી જવાનો નિર્દેશ આપ્યો છે.
દરિયાકાંઠાના જિલ્લાઓમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત સમયગાળા દરમિયાન માછીમારોને મફત રાશન આપવામાં આવશે. રાજ્ય સરકાર 1988 થી દરિયાઈ પર્યાવરણ પર માછીમારી પ્રવૃત્તિઓની અસરને ઘટાડવા માટે વાર્ષિક કવાયત હાથ ધરી રહી છે. પ્રતિબંધનો સમયગાળો માછલીની સંવર્ધન સીઝન સાથે મેળ ખાતો હોય છે, જે દરિયાઈ મત્સ્ય સંસાધનોને ફરી ભરવામાં મદદ કરે છે.