ગોવા અને કેરળમાં ચક્રવાત બિપરજોયનો વધ્યો ખતરો
Live TV
-
ચોમાસુ આગામી 48 કલાકમાં કેરળમાં પહોંચી શકે છે
ચક્રવાત બિપર જોય આગામી 48 કલાક દરમિયાન ઉત્તર તરફ આગળ વધવાની અને ગંભીર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.. જો કે આજે સાંજ સુધી સ્થિતિ વધુ વણસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું આગામી 3 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. જોકે, અત્યાર સુધી ભારત, ઈરાક, ઓમાન, પાકિસ્તાન સહિતના અરબી સમુદ્ર નજીકના દેશોમાં કોઈ ગંભીર અસરની આગાહી કરવામાં આવી નથી. આ વર્ષે અરબી સમુદ્રમાં આ પહેલું ચક્રવાતી તોફાન છે. બીજી તરફ હવામાનશાસ્ત્રીઓએ આગામી 48 કલાક સુધી કેરળમાં ચોમાસાની ધીમી શરૂઆત થવાની આગાહી કરી છે. જેની પાછળનું કારણ ચક્રવાતી તોફાન માનવામાં આવે છે.
સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા. જોકે Biporjoy વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. પરંતુ જો વાવાઝોડું દિશા બદલશે તો ગુજરાત પર ત્રાટકવાની સંભાવના છે. સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના બંદરો પર બે નંબરના સિગ્નલ લગાવાયા હતા.