RBIએ ત્રિદિવસીય નાણાકીય સમિતિની બેઠકમાં ચર્ચા બાદ રેપો રેટ યથાવત રાખવાની કરી જાહેરાત
Live TV
-
વિશ્વમાં ફુગાવો વધ્યો હોવા છતા પણ ભારતમાં સ્થિતિ સ્થિર છે
ભારતીય રિઝર્વ બેંકે વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી. છઠ્ઠી જૂનથી ત્રણ દિવસ માટે 43મી નાણાકિય સમિતિની મુંબઇ ખાતે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં લેવાયેલા તમામ નિર્ણયોની જાણકારી આપતાં આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ હતુંકે દેશની આર્થિક સ્થિતિ સ્થિર અને મજબૂત છે.
વિશ્વમાં ફુગાવો વધ્યો હોવા છતા પણ ભારતમાં સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું હતું વર્તમાન આર્થિક સ્થિતિને જોતા રિઝર્વ બેંકે વ્યાજદરોમાં કોઇ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે.. તેમણે કહ્યુ હતું કે વિશ્વના અનેક દેશોમાં વ્યાજદરોમાં વધારો કર્યો છે તેમ છતાં પણ ભારતે આ વખતે વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી. હાલમાં રેપોરેટ 6.50 ટકા છે તેને યથાવત રાખ્યો છે.
રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે. બેંકો આ લોનથી ગ્રાહકોને લોન આપે છે. નીચા રેપો રેટનો અર્થ એ છે કે બેંક તરફથી ઘણી પ્રકારની લોન સસ્તી થઈ જશે, જ્યારે રિવર્સ રેપો રેટ રેપો રેટની બરાબર વિરુદ્ધ છે.
નાણાકીય નીતિ દર બે મહિને મળે છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારબાદ આરબીઆઈએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો, પરંતુ 2 અને 3 મેના રોજ, આરબીઆઈએ ઈમરજન્સી મીટિંગ બોલાવી અને રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો.