Skip to main content
Settings Settings for Dark

ડૉ. હર્ષ વર્ધન: રસીકરણની ગતિ વધારવાથી દેશને કોવિડ સામે ઝડપથી પ્રતિકાર કરી શકશે

Live TV

X
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી  ડૉ. હર્ષ વર્ધને કહ્યું છે કે રસીકરણની વધતી ગતિ કોવિડ -19 સામે દેશને ઝડપથી પ્રતિકારમાં મદદ કરશે. તેમણે જણાવ્યું હતું કે, રસીઓના 28 કરોડથી વધુ ડોઝ પહેલાથી જ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનના વૈશ્વિકરણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા, તેમણે દરેકને પોતે રસી લેવા તેમજ તેમના પરિવારના સભ્યોને રસી અપાવવા અપીલ કરી હતી. 
     
    ડૉ. હર્ષ વર્ધન આજે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોતાના મત વિસ્તારના નાગરિકો સાથે દિલ્હીમાં યોગ માટે જોડાયા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સર્વાંગી સ્વાસ્થ્યના વિકાસ માટે લોકોમાં યોગનું મહત્વ અનેકગણું વધ્યું છે. તેમણે કહ્યું કે, કોવિડ -19 રોગચાળોમાં એ જાણવા મળ્યું છે કે આરોગ્ય એ જ અંતિમ સંપત્તિ છે. તેમણે કોવિડ -19 માં તેમના નજીકના પ્રિયજનો ગુમાવનારા લોકો પ્રત્યે ખૂબ ઊંડી સંવેદના વ્યક્ત કરી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply