Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ડૉ. ઈન્દિરા હૃદયેશના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડૉ. ઈન્દિરા હૃદયેશના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “ડૉ. ઈન્દિરા હૃદયેશ કેટલાક સામુદાયિક સેવાના પ્રયાસોમાં અગ્રણી રહ્યા હતા. તેઓ ભરપૂર વહીવટી અનુભવ ધરાવતા હતા તેમજ એક પ્રભાવશાળી ધારાસભ્ય રહ્યા હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને સમર્થકોને સાંત્વના. ઓમ શાંતિ” 

    ડૉ.ઇન્દિરા હૃદયેશ 1974 માં અવિભાજિત ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદમાં પ્રથમ વખત ચૂંટાયા હતા. આ પછી 1986, 1992 અને 1998 માં પણ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદમાં ચૂંટાયા અને કાર્યકાળ પૂર્ણ કર્યો. ઉત્તરાખંડ રાજ્યના અલગ થયા પછી તે 2000 અને 2002 માં ઉત્તરાખંડ વિધાનસભામાં વચગાળાના સભ્ય હતા અને વિપક્ષી નેતા તરીકે પણ રહ્યા. 2002 માં પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી હતી અને કોંગ્રેસની સરકાર બનતી વખતે તેમણે જાહેર બાંધકામ, સંસદીય બાબતોના કેબિનેટ પ્રધાન, રાજ્ય સંપત્તિ, માહિતી, વિજ્ઞાન અને તકનીકી જેવા મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. 2012 માં બીજીવાર વિધાનસભા જીતીને ઉત્તરાખંડ વિધાનસભા પહોંચ્યા અને અન્ય જવાબદારીઓ ઉપરાંત નાણાં, વાણિજ્યિક કર, ટિકિટિંગ અને નોંધણી પ્રધાનમંડળનો પોર્ટફોલિયો સંભાળ્યો. 2017 માં પણ તે વિધાનસભા જીતીને વિપક્ષી નેતાની જવાબદારી નિભાવી રહી હતી.

    આજે સવારે તેમને ગંભીર હાલતમાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ સૂર્યકાંત ધસ્માનાએ ઈન્દિરા હૃદયેશના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે તેમને દિલ્હીમાં હાર્ટ એટેક આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply