પ્રધાનમંત્રી આજે જમ્મુ કશ્મીરના રાજનૈતિક દળો સાથે સર્વપક્ષીય બેઠક કરશે
Live TV
-
જમ્મુ કશ્મીરમાં વિકાસ ગતિવિધીઓને વેગ આપવા અને રાજ નૈતિક ભવિષ્ય માટે આ બેઠક મહત્વપૂર્ણ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ કશ્મીરના રાજનૈતિક દળો સાથે સર્વપક્ષીય બેઠક કરશે. જમ્મુ કશ્મીરમાં વિકાસ ગતિવિધીઓને વેગ આપવા અને રાજ નૈતિક ભવિષ્ય માટે આ બેઠક મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કશ્મીર કેન્દ્રની મુખ્ય પ્રાથમિકતાઓમાં સામેલ છે. તેમાં શાંતિ સ્થાપવા અને વિકાસ માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019ના રોજ કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશ-જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત કર્યું હતું. ત્યારબાદથી રાજકીય મોરચે સ્થિતિ અસ્થિર થઈ ગઈ છે. મોટાભાગના મોટા નેતા નજરકેદ છે. હવે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને કેન્દ્ર તરફતી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ યથાવત રાખવા માટે તમામ પક્ષો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
