પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે કેન્દ્રીય કેબિનેટ અને સાંજે સાત વાગે મંત્રી પરિષદ બોલાવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે કેન્દ્રીય કેબિનેટ અને સાંજે સાત વાગે મંત્રી પરિષદ બોલાવી છે. તે પહેલાં નવનિયુક્ત તમામ મંત્રી પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સવારે મંત્રાલય પહોંચીને કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ યુવા અને ખેલકૂદ વિભાગનો વધારાનો હવાલો પણ સંભાળશે. અશ્વિની વૈષ્ણવે પણ આજે રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી મોદીના વિઝન પર ખરા ઉતરવા પ્રતિબદ્ધ છે... મહિલા મંત્રી મીનાક્ષી લેખીએ વિદેશ રાજ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો.. સાથે તેઓ સંસ્કૃતિ મંત્રાલયનો પણ હવાલો સંભાળી રહ્યા છે.
