પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિન ગ્લોબલ કોન્કલેવમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ"કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું. સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કોરોના રસીકરણમાં "કો-વિનની ભૂમિકા મહત્વની છે. આ ઉપરાંત મહામારીને નાથવા માટે દુનિયાના દરેક દેશે એકજૂટ થવું ખૂબ જરુરી છે. કારણ કે કોરોનાની લડાઇ કોઇપણ દેશ એકલો લડી શકે નહી. "કો-વિન ગ્લોબલ કોન્ક્લેવ" દરમિયાન પ્રધાનમંત્રીએ કોરોના રસીકરણ અંગેના અનુભવો વિશે પણ વાત કરી હતી. કોવિડ વેક્સિનેશનમાં ડીજીટલ માધ્યમની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. જેને કારણે લોકો રસી લેવા જાગૃત્ત થયા છે. આ સાથે "આરોગ્ય સેતુ" એપના કારણે કોરોના સામે લડવા પણ ખૂબ મદદ મળી હોવાનું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
