રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને એમ્ફોટેરિસિન-બીની વધારાની 106300 શીશીઓ ફાળવાઈ
Live TV
-
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડી. વી. સદાનંદ ગૌડાએ 14 જૂને ટ્વીટરના માધ્યમથી ઘોષણા કરી હતી કે, મ્યુકરમાયકોસિસનાં ઈલાજમાં વપરાતા લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીની વિશિષ્ટ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓમાં આ દવાની વધારાની 106300 શીશીઓ ફાળવવામાં આવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું કે, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની કુલ 53,000 શીશીઓ પણ ફાળવવામાં આવી હતી. દર્દીઓ માટે સુયોગ્ય સપ્લાય અને યોગ્ય સમયે ઈલાજને સુનિશ્ચિત કરવા માટે પરંપરાગત એમ્ફોટેરિસિન-બીની ફાળવણી કરવામાં આવી હતી.
