રાષ્ટ્રપતિ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં સંબોધન કર્યું
Live TV
-
આજે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે સંબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં માનવાધિકાર પોતાની વિકાસયાત્રા પર છે. સમાનતાનો સિધ્ધાંત સમગ્ર વિશ્વમાં સ્વીકૃત કરાયો છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં માનવાધિકારની સ્થિતિ દુનિયામાં પ્રશંશનિય છે. આ વર્ષે માનવાધીકારની થીમ તમામ માટે પ્રતિષ્ઠા, સ્વતંત્રતા અને ન્યાય નક્કી કરવામાં આવી છે. સંયુક્તરાષ્ટ્ર મહાસભાએ 12 ઓકટોબર 1948માં આ ઘોષણાને માનવાધિકાર ની રક્ષા માટે પ્રમાણભૂત ઉપાયના રૂપે સ્વીકાર્યો હતો.