પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગપુર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલીઝંડી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે અલગ-અલગ પરિયોજનાઓના ઉદ્ધાટન માટે મહારાષ્ટ્ર પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી સવારે નાગપુર પહોંચીને નાગપુરથી બિલાસપુરની વચ્ચે ચાલી રહેલી વંદેભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. તે પછી નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. તેની સાથે વિદર્ભમાં એક સાર્વજનિક સમારોહમાં પ્રધાનમંત્રી 1,500 કરોડ રૂપિયાથી વધુ રેલ પરિયોજનાઓની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નાગપુર-મુંબઈની વચ્ચે બનેલા સમૃદ્ધિ મહામાર્ગના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કરશે. કુલ 701 કિલોમીટર લાંબા એક્સપ્રેસવેના નાગપુરથી મુંબઈ સુધી 520 કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે.
રૂપિયા 55,000 કરોડના ખર્ચે બનેલો આ એક્સપ્રેસવે મહારાષ્ટ્રના 10 જિલ્લા અને અમરાવતી, ઔરંગાબાદ તથા નાસિક જેવા મુખ્ય શહેરોથી પસાર થશે. આ એક્સપ્રેસવેથી આજુબાજુના અન્ય 14 જિલ્લોઓની કનેક્ટિવિટી પણ સુધારવામાં મદદ મળશે, જેનાથી વિદર્ભ, મરાઠવાડા અને ઉત્તરી મહારાષ્ટ્રના ક્ષેત્રો સહિત રાજ્યના લગભગ 24 જિલ્લાઓના વિકાસમાં મદદ મળશે.