સૌર અને પવન ઉર્જાના આંતરરાજ્ય ટ્રાન્સમિશન ચાર્જની માફી લંબાવામાં આવી
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઊર્જા અને પવન સ્રોતમાંથી ઉત્પન્ન થતી વીજળીના પરિવહન પરના આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમની માફી 30 જૂન 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. અગાઉ, તે 30મી જૂન 2023 સુધી હતી. ઊર્જા મંત્રાલયે આ સંદર્ભે આદેશ જાહેર કર્યો છે. 30 જૂન 2025 સુધી હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સ માટે ISTS ચાર્જને માફી આપવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
આ ઇલેક્ટ્રિસિટી ગ્રીડમાં મોટાપાયે રિન્યુએબલના એકીકરણને કારણે ગ્રીડની સંતુલન જરૂરીયાતને પહોંચી વળવા માટે હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે. આ પગલાથી સૌર, પવન, જળ ઊર્જા જેવા સ્ટોરેજ પ્લાન્ટ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમના વિકાસને પ્રોત્સાહન મળશે.
