ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ માટે શુભમન ગિલ કેપ્ટન બન્યા, ઋષભ પંત વાઇસકેપ્ટન
શુભમન ગિલને ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચ સીરિઝ માટે ભારતના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે વિકેટકીપર ઋષભ પંતને ટીમના વાઇસકેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કરુણ નાયર ભારતીય ટીમમાં પરત ફર્યા છે જ્યારે બી સાઈ સુદર્શન અને અભિમન્યુ ઈશ્વરનને પણ ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.