Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી મોદીની ઇચ્છાશક્તિ, બુદ્ધિમત્તા અને સેનાની તાકાતનું પ્રતીક

22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન સંબોધન કરતી વખતે અમિત શાહે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને ભારતની આતંકવાદ વિરોધી વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન લાવવા અને ઓપરેશન સિંદૂર જેવા નિર્ણાયક પગલાં લેવા બદલ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો.ભારતની સંયમિત અને સચોટ રણનીતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું, "અમે ન તો કોઈ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા કે ન તો કોઈ એરબેઝ પર હુમલો કર્યો. અમે ફક્ત અને ફક્ત તે આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો જેમણે આપણા દેશમાં ગુનાઓ કર્યા હતા.

Gujarati

પ્રધાનમઁત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો

નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે,પ્રધાનમંત્રી મોદીએ ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવેના મહત્વ પર પ્રકાશ પાડ્યો, જે મ્યાનમારથી થાઇલેન્ડ સુધી સીધો પ્રવેશ પૂરો પાડશે.

Gujarati

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” વિષય આધારિત લોકજાગૃતિ અભિયાનનું આયોજન

આ અભિયાનના ભાગરૂપે  તા. ૨૨ જૂનના રોજ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ ગીર ફાઉન્ડેશન ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન-ગાંધીનગર ખાતેથી “પ્લાસ્ટિક એકત્રીકરણ ઝુંબેશ”નો પ્રારંભ કરાવ્યો હતો. ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ ઝુંબેશ દરમિયાન મંત્રીએ ઇદ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે ઉભા કરાયેલા “પ્લાસ્ટિક એકત્રીકરણ કેન્દ્ર”નો પણ શુભારંભ કરાવ્યો હતો. આ કેન્દ્ર ખાતે પ્લાસ્ટિક કચરો જમા કરાવનાર બાળકોને પ્રોત્સાહનરૂપે મંત્રીના હસ્તે રીસાયકલ કરેલા પ્લાસ્ટિકથી બનેલી ઉપયોગી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. 

Gujarati

અમદાવાદના ગુરુકુળ રોડમાં પૂર્વી ટાવરના ફ્લેટમાં આગનો બનાવ ,આ આગના બનાવમાં કોઇ જાનહાનીનો બનાવ બન્યો નથી

ગુરુકુળ રોડ પર સુભાષચોક પાસે આવેલા પૂર્વી ટાવરના 8માં માળે એક ફ્લેટમાં આગનો બનાવ બન્યો હતો. એસીમાં કોઇ ખામી સર્જાયા બાદ આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી  સામે આવી છે . સ્થાનિકોમાં થોડો સમય અફરા-તફરી મચી ગઇ હતી.આગના બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાઈ હતી.

Gujarati

દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું "પિયર"

કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ ૭ પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ ૫ પ્રજાતી જોવા મળે છે. તેમજ ગુજરાતના દરિયામાં ૪ પ્રજાતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે "લીલા કાચબા" અને "ઓલીવ રીડલી કાચબા"ની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૫ સુધીમાં અંદાજિત ૮૦ હજાર કાચબાનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે.  દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળો ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે  હેચરી આવેલી છે.

Gujarati

ભારતે 24મી IORA બેઠકમાં ભાગ લીધો,સભ્ય દેશોએ આતંકવાદની કરી નિંદા

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત હાલમાં IORAનું વાઇસ ચેર છે અને ટ્રોઇકાનો ભાગ છે. ભારત 2025-27 માટે IORA નું અધ્યક્ષપદ સંભાળશે. 24મી COM બેઠકમાં IORAના તમામ 22 સભ્ય દેશો અને IORAના 12 સંવાદ ભાગીદારોના મંત્રીઓ અને ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન, સભ્ય દેશોએ IORA ને મજબૂત બનાવવા, પ્રાદેશિક હિતના મુદ્દાઓ પર ચર્ચા કરી અને 'કોલંબો કોમ્યુનિક' અપનાવ્યું.

Gujarati

ગ્રીસમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

જર્મન રિસર્ચ સેન્ટરે જણાવ્યું હતું કે ભૂકંપ સવારે 6:19 વાગ્યે, ક્રેટના એલાઉન્ડાથી 58 કિમી ઉત્તરપૂર્વમાં અને 60 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. ભૂકંપને કારણે યુરોપિયન અધિકારીઓએ સુનામીની ચેતવણી પણ જારી કરી હતી.

ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી

અહેવાલો અનુસાર, આ ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. ક્રેટ અને આસપાસના ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. અહેવાલો અનુસાર, ભૂકંપ પછી અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા અને ક્રેટની ફાયર સર્વિસને એલર્ટ પર રાખવામાં આવી છે.

ગ્રીસ અનેક મુખ્ય ફોલ્ટ લાઇન પર સ્થિત છે

Gujarati

'ઓપરેશન સિંદૂર' એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે."

'ત્રણેય સેનાઓએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી'

Gujarati

'ઓપરેશન સિંદૂર' એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા છે: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, "22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે."

'ત્રણેય સેનાઓએ મળીને એવું ચક્રવ્યૂહ બનાવ્યું કે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવાની ફરજ પડી'

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply