ઓપરેશન સિંદૂર પ્રધાનમંત્રી મોદીની ઇચ્છાશક્તિ, બુદ્ધિમત્તા અને સેનાની તાકાતનું પ્રતીક
22મા બોર્ડર સિક્યુરિટી ફોર્સના શપથ સમારોહ અને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર દરમિયાન સંબોધન કરતી વખતે અમિત શાહે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને ભારતની આતંકવાદ વિરોધી વ્યૂહરચનામાં આમૂલ પરિવર્તન લાવવા અને ઓપરેશન સિંદૂર જેવા નિર્ણાયક પગલાં લેવા બદલ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો.ભારતની સંયમિત અને સચોટ રણનીતિ પર ભાર મૂકતા તેમણે કહ્યું, "અમે ન તો કોઈ પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન બનાવ્યા કે ન તો કોઈ એરબેઝ પર હુમલો કર્યો. અમે ફક્ત અને ફક્ત તે આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો જેમણે આપણા દેશમાં ગુનાઓ કર્યા હતા.