Skip to main content
Settings Settings for Dark

Live TV

X

અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ, 83 પાર્થિવદેહ પરિજનોને સોંપાયા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી... જેમાં  IBના વડા, FSLના ડાયરેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, ગુજરાત FSL દિવસરાત સતત DNA પરીક્ષણની કામગીરી કરી રહી છે .

પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Gujarati

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી  છે.  છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી  છે.

Gujarati

વડાપ્રધાન મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. તેઓ G-7 અને આમંત્રિત દેશોના નેતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Gujarati

FATFએ પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી, કહ્યું: ભંડોળ વિના શક્ય નથી

વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. FATFએ કહ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો ન હોય ત્યાં સુધી આવા હુમલા શક્ય નથી.

Gujarati

ભારતે ઈરાન-ઈઝરાયલને સંયમ રાખવાની કરી અપીલ

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, ખાસ કરીને પરમાણુ સ્થળો પર હુમલા સંબંધિત સમાચાર.વિદેશ મંત્રાલયે બંને પક્ષોને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી ટાળવા અને પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા અપીલ કરી છે. ભારતે કહ્યું કે હાલના સંવાદ અને રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરીને આ કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવા જોઈએ.

https://x.com/MEAIndia/status/1933390247682842770

બંનેના મિત્ર તરીકે સહયોગ કરવા તૈયાર

Gujarati

ઉત્તર ભારતમાં ગરમીના પ્રકોપના કારણે ઓરેન્જ એલર્ટ જારી

આકરી ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતમાં હવામાનમાં હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)અનુસાર, 13 જૂનની રાતથી હવામાન બદલાવા જઈ રહ્યું છે. જોકે,  હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Gujarati

આરોગ્ય મંત્રીએ બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.તેમણે બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી હતી.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં  મૃતકો સાથે તેમના પરિવારજનોના DNA મેચ કરીને ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192 લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે.આ દરમિયાન  પરિવારજનોને મૃતહેદો ઝડપથી મળે તે માટે ઋષિકેશ પટેલે ચર્ચા કરી હતી. 

 

 

Gujarati

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, અમેરિકા અને યુકે ટીમ મોકલવાની ઓફર

બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને ઔપચારિક રીતે સહાયની ઓફર કરી છે અને કુશળતા હેઠળ આ તપાસમાં ભાગ લેશે.

 આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે અમારી સંવેદના છે

Gujarati

પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને દુર્ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ પહોંચ્યા હતા.એરપોર્ટથી જ સીધા તેઓ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા,જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  તેમજ ઉડ્ડ્યન મંત્રી પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને  ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

Gujarati

Axiom-4 મિશન અંગે નવી અપડેટ, ISRO ચીફ V Narayanan એ આપી મહત્વપૂર્ણ માહિતી

પરંતુ 11 જૂને લોન્ચ થનારા મિશનને મુલતવી રાખવું પડ્યું. જોકે, ચોથી વખત એવું બન્યું કે મિશનની લોન્ચ તારીખ બદલાઈ ગઈ. ભારતીય અવકાશ એજન્સી ISRO ચીફ V Narayanan એ Axiom-4 મિશનમાં વિલંબનું કારણ આપ્યું છે.ISRO એ ચીફ V. Narayanan ને ટાંકીને સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટમાં લખ્યું, "ISRO, NASA, Axiom Space અને SpaceX સાથે મળીને, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ના ઝ્વેઝડા મોડ્યુલમાં જોવા મળતી સમસ્યાને જવાબદારીપૂર્વક ઉકેલવા માટે કામ કરી રહ્યું છે, જેના કારણે Axiom મિશન 4 (X-4) માં વિલંબ થયો છે. સલામતી અને મિશનની અખંડિતતા અમારી ટોચની પ્રાથમિકતાઓ છે."

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2025 Max Temp : °C Min Temp : °C
apply