અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ, 83 પાર્થિવદેહ પરિજનોને સોંપાયા
અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી... જેમાં IBના વડા, FSLના ડાયરેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, ગુજરાત FSL દિવસરાત સતત DNA પરીક્ષણની કામગીરી કરી રહી છે .
પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન