ગુજરાતના સ્થાપના દિવસે 24 કલાક માટે ધંધા રોજગાર ખુલ્લા રહેવાની અપાઈ હતી છૂટ
Live TV
-
ગુજરાતના સ્થાપના દિવસે 24 કલાક માટે ધંધા રોજગાર ખુલ્લા રહેવાની છૂટ અપાતા વેપારી જગતમાં આનંદ વ્યાપી ગયો છે.સરકારે મોટા શહેરોમાં 24 કલાક, નાના શહેરોમાં રાત્રે 2 વાગ્યા સુધી અને ગ્રામ્ય વિસ્તારમાં 11 વાગ્યા સુધી ધંધા રોજગાર ખુલ્લા રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.આ નિર્ણયને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ધંધાર્થીઓ તથા જનતાએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.લોકોના મતે આ નિર્ણયને કારણે રોજગારીમાં વધારો થશે.સાથે સાથે રાત્રી દરમિયાન મુસાફરી કરતા લોકોને લાભ થઈ શકે છે.