સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વર્ષની મહાશિવરાત્રી અત્યંત ભવ્ય અને ઐતિહાસિક
સોમનાથ ‘સ્વાભિમાન પર્વ’ અને મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના મિની કુંભ મેળાને પગલે આ વખતે અંદાજે પાંચ લાખથી વધુ ભક્તો સોમનાથમાં શીશ ઝુકાવશે તેવી અપેક્ષા છે.
ભક્તોની સુરક્ષા અને સુવિધાને પ્રાધાન્ય આપી જિલ્લા વહીવટી તંત્ર તથા મંદિર ટ્રસ્ટ દ્વારા વન-વે એન્ટ્રી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને 24 કલાક મેડિકલ સેવા જેવી સુદ્રઢ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેથી આ શ્રદ્ધાનો મહાકુંભ શાંતિપૂર્ણ અને મંગલમય રીતે સંપન્ન થઈ શકે.