Skip to main content
Settings Settings for Dark

જીએસટી કાઉન્સિલ કરદાતાઓની ફરિયાદ નિવારણ પ્રણાલીની શરૂઆત કરશે

Live TV

X
  • કરદાતાઓની ફરિયાદોના નિવારણ માટે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ફરિયાદ નિવારણ પદ્ધતિ ઉમેરવા નિર્ણય લેવામાં આવ્યો છે. 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની 38 મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

    જીએસટી કાઉન્સિલે કરદાતાઓની સુવિધા માટે ફરિયાદ નિવારણ મંત્રણા સ્થાપવાનો નિર્ણય કર્યો છે. 18 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની 38 મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કાઉન્સિલે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, જીએસટી હેઠળ કરદાતાઓની ફરિયાદોના નિવારણ માટે એક મિકેનિઝમ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિકેનિઝમ જીએસટી સંબંધિત ચોક્કસ અને સામાન્ય મુદ્દાઓની ફરિયાદોનું નિવારણ કરશે. જીએસટી કાઉન્સિલ ઝોન અને રાજ્ય સ્તરે ફરિયાદ નિવારણ સમિતિઓ (જીઆરસી) ની રચના કરશે. તેમાં વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને કેન્દ્ર અને રાજ્ય કક્ષાના અધિકારીઓ સાથેના અન્ય હોદ્દેદારોનો સમાવેશ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બે વર્ષ માટે આ સમિતિની રચના કરવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply