માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ફિલ્મોનો બહિષ્કાર કરવાની સંસ્કૃતિની ટીકા કરી
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે ફિલ્મોનો બહિષ્કાર કરવાની સંસ્કૃતિની ટીકા કરી છે. તેમણે ગઈ કાલે મુંબઈમાં પત્રકારોને કહ્યું હતું કે, બહિષ્કારનું આહ્વાન વાતાવરણને બગાડે છે. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તમામ પાસાઓની તપાસ કર્યા પછી જ ફિલ્મના પ્રદર્શન માટે પરવાનગી આપે છે.
વધુમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સંપૂર્ણ માહિતી વિના કોઈપણ વિષય પર ટિપ્પણી કરવાથી વધુ નુકસાન થવાની સંભાવના છે. તેણે એમ પણ કહ્યું કે ભારતીય ફિલ્મો માટે આ સારો સમય છે કારણ કે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે.