સંગીત નાટક અકાદમીએ વર્ષ 2019, 2020 અને 2021 માટે પુરસ્કારોની કરી જાહેરાત
Live TV
-
સંગીત નાટક અકાદમીએ વર્ષ 2019, 2020 અને 2021 માટે પુરસ્કારોની કરી જાહેરાત
સંગીત નાટક અકાદમીએ વર્ષ 2019, 2020 અને 2021 માટે પુરસ્કારોની જાહેરાત કરી છે. સંગીત, નૃત્ય, રંગભૂમિ, લોક-કલા, કઠપૂતળી અને પ્રદર્શન કળામાંથી કુલ 128 કલાકારોની પસંદગી કરવામાં આવી છે. અકાદમીની મહાપરિષદ દ્વારા દસ પ્રતિષ્ઠિત કલાકારોને અકાદમીના વિશેષ ફેલો એવોર્ડથી સન્માનિત કરાયા છે.
અકાદમી ફેલો પુરસ્કારમાં તામ્રપત્ર અને અંગવસ્ત્ર સાથે 3 લાખની રોકડ રકમ આપવામાં આવે છે, જ્યારે સંગીત નાટક અકાદમી અમૃત પુરસ્કારમાં 1 લાખ રૂપિયા અપાય છે. અકાદમીએ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પુરસ્કાર માટે હિન્દુસ્તાની અને કર્ણાટકી શૈલીના વાંસળી, સિતાર અને મૃદંગમના 102 કલાકારોની પસંદગી કરી છે.સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાતના ચાર કલાકારો સહિત 128 કલાકારોને સંગીત નાટક એવોર્ડ જાહેર કરાયા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એક વિશેષ સમારોહમાં કલાકારોનું સન્માન કરશે.
ગુજરાતના દર્શનાબેન ઝવેરી, મંજુબેન મહેતા, શંકરભાઈ ધરજીયા અને મહેશ ચંપકલાલની પસંદગી થતા તેમને સન્માનિત કરાશે.