અમદાવાદ વિમાન દુર્ઘટના: 31 મૃતકોના DNA સેમ્પલ મેચ, 12 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Live TV
-
અમદાવાદ વિમાન દુર્ઘટના: 31 મૃતકોના DNA સેમ્પલ મેચ, 12 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદમાં 12મી જૂને મેઘાણીનગર નજીક થયેલી એર ઇન્ડિયાની AI171 વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંતર્ગત, અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે આજે સવારે 9:00 કલાકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 31 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે.
આ મેચ થયેલા DNA સેમ્પલના આધારે અત્યાર સુધીમાં કુલ 12 મૃતદેહ સન્માનપૂર્વક તેમના પરિવારજનોને સુપરત કરવામાં આવ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ની રાજકોટ ખાતે અંતિમવિધિ કરવામાં આવશે.
મૃતકોના પરિવારજનોને મદદ કરવા માટે, દરેક પરિવાર માટે એક ખાસ ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, એક પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે, જેઓ પરિવારજનોને જરૂરી સહાય અને ભાવનાત્મક આધાર પૂરો પાડી રહ્યા છે.