કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળની મુલાકાત લીધી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઓગણજ ખાતે BAPS સંસ્થા દ્વારા આગામી ડિસેમ્બર મહિનામાં આયોજીત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી. આ મહોત્સવ સ્થળના વિશાળ મુખ્ય પ્રવેશદ્વાર જ્યાં મહોત્સવું વિશાળ પ્રતિકચિન્હ સ્થાપિત થવાનું છેત્યા ગૃહમંત્રીના હસ્તે કળશ સ્થાપન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત તેમણે મિશન મિલિયન ટ્રી અંતર્ગત એસપી રીંગ રોડ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે શહેરના મેયર કીરીટ પરમાર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેષ બારોટ, સ્થાનિક કોર્પોરેટરો તથા ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
