સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસને લઈને તૈયારીઓ શરૂ
Live TV
-
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ વખત વિનામૂલ્યે મોબાઈલ કેમેરા અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ડિજિટલ લોકરમાં દરેક યાત્રિકો મૂકી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સાથે 400 થી વધુ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથમાં આવનાર બીમાર અશક્ત કે વૃદ્ધ લોકો માટે વિલચેર ઈ-કાર અને મંદિર ખાતે લિફ્ટની પણ વ્યવસ્થા સુવિધા કરાઈ છે. મોટી સંખ્યામાં ભાવિકો ઊમટવાના હોઈ પોલીસ સિક્યુરિટી વિભાગ સહિતનાઓ દ્વારા તમામ તૈયારીઓને આખરી અપાયો છે..
