ખેડૂતો સહિત નાગરિકોના હિતમાં તૈયાર કરાયેલા નવા નિર્ણયો-આયામોનું ગાંધીનગરમાં આજે પ્રેઝન્ટેશન
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો સહિત નાગરિકોના વ્યાપક હિતમાં તૈયાર કરાયેલા નવા નિર્ણયો-આયામોનું ગાંધીનગર ખાતે વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરાશે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે,મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો, જમીન માલિકો સહિત નાગરિકોના વ્યાપક હિતમાં તૈયાર કરાયેલા નવા નિર્ણયો-આયામોનું આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં મહેસૂલ વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી અનેકવિધ બેઠકો કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓ સાથેની ચર્ચા વિચારણા બાદ તૈયાર કરેલા નવા નિયમો અને વિવિધ આયામોની વિગતો પ્રેઝેન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવશે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ દ્વારા અમલમાં આવનાર આ નવા નિયમો અને આયામોથી ખેડૂતો, જમીન માલિકો સહિત નાગરિકોને વધુને વધુ મદદરૂપ થશે તેમજ તેમને પડતી તકલીફો દૂર થશે.
