જામનગરના ગુલાબનગરમાં 10 વર્ષથી પર્યાવરણ જાળવણીનો ઉત્તમ પ્રયાસ, ધ્યાન આકર્ષિત કરતી માટીની ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ
Live TV
-
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી અતુલ પ્રજાપતિ દ્વારા ખાસ પર્યાવરણને ધ્યાનમાં રાખી માટીમાંથી ઇકો ફ્રેંડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં આવે છે. હાલ આ વર્ષે કોરોનાના કેસો ઘટતા સરકાર દ્વારા તહેવારોની ઉજવણીમાં છૂટછાટ આપવામાં આવી છે ત્યારે લોકોમાં ગણેશોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે અતુલભાઈ દ્વારા ગણેશજીની માટીમાંથી 6 ઇંચથી ચાર ફૂટ સુધીની મૂર્તિઓ બનાવવામાં આવી છે તેમજ અંદાજિત 254 પ્રકારના અલગ અલગ સ્વરૂપોમાં ભગવાન ગણેશજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જ્યારે શહેરીજનોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતતા આવતા ગણપતિની માટીની મૂર્તિની ખૂબ જ માંગ વધી છે.
