જામનગર : કોરોના સંક્રમણને અટકાવવા કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Live TV
-
લોકોને થોડી તકલીફ પડશે પણ આગામી દિવસોમાં એક અઠવાડિયા માટે જામનગરવાસીઓ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરી કોરોનાની મહામારીને રોકવા માટે સહયોગ આપે - આર.સી.ફળદુ
જામનગરમાં દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે..શુક્રવારે જામનગરમાં ૭ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે ત્યારે પોઝિટિવ આવનાર કેસો અન્ય સંક્રમિત જિલ્લાઓમાંથી આવતા હોય અને ગેરકાયદેસર રીતે જામનગરમાં પ્રવેશ કરે છે તેવા લોકોથી સંક્રમણના કેસ હાલ જામનગરમાં વધી રહ્યા છે તેને નિયંત્રણમાં લાવવા કેબીનેટ મંત્રીશ્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમ તેમજ જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજ્પ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા વગેરે મહાનુભાવો તેમજ વહિવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના લોકોને સંક્રમણથી કઈ રીતે બચાવી શકાય તે માટેની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કેબીનેટ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, જામનગર શહેરને આગામી દિવસોમાં કોરોના મહામારીના કારણે વધુ પ્રશ્નોના સર્જાય તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અમુક નિર્ણૅયો લેવાયા છે. સતત વધતા કેસને ધ્યાને લઇ સંક્રમણ ન વધે તે માટે થોડા કડક પગલાંની આવશ્યકતા છે ત્યારે લોકોને થોડી તકલીફ પડશે પણ આગામી દિવસોમાં એક અઠવાડિયા માટે જામનગરવાસીઓ સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરી કોરોનાની મહામારીને રોકવા માટે સહયોગ આપે તેમ મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકર, પોલીસ અધિક્ષકશ્રી શરદ સિંઘલ, કમિશનરશ્રી સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, વગેરે અધિકારીઓ -કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.