AIIMSના ડાયરેક્ટર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા,આરોગ્ચ અગ્રસચિવ જયંતિ રવિ સાથે બેઠક
Live TV
-
અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને SVP હોસ્ટપિલની મુલાકાત લઈને કોરોના ગ્રસ્તોની સારવાર કરતા ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને આપશે માર્ગદર્શન
અમદાવાદ વધતા જતા કોરોનાનાન કેસોને લઇ મોડી રાતે દિલ્લી AIIMSના ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પોહચ્યા હતા. આજે સવારે 9 વાગ્યે ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. આરોગ્ય વિભાગના સચિવ ડો. જ્યંતી રવિ, સિવિલમાં તાત્કાલિક એમ.એમ. પ્રભાકર સહિતના સિનિયર ડોકટરો સાથે કોરોનાની સારવાર અને તેની માહિતી અને પ્રેઝન્ટેશન અંગેની બેઠક ચાલુ થઈ છે. સિવિલની બેઠક બાદ તેઓ SVP હોસ્પિટલની પણ મુલાકાત લેશે અને સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રીએ સફળ પ્રતિસાદ આપ્યો છે એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા આજે અમદાવાદ પહોંચ્યા.. આ તબીબો સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ અને એસ.વી.પી હોસ્પિટલની મૂલાકાત લેશે આ બન્ને વરિષ્ઠ તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરૂં પાડશે.