યાત્રાધામ અંબાજી મંદિરમાં અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
Live TV
-
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી આવતા લાખ્ખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ થકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ 1 જુલાઇ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર થશે સવારે મંદિર 10:45 કલાકે બંધ થતું હતું તેના બદલે હવે 11:30 સુધી આ સમય લંબાવાયો છે અને માતાજીની સાતે દિવસની સવારીનાં દર્શન જે માત્ર 10:45 સુધી થતાં હતા જે હવે 4:30 કલાક સુધી દર્શનનો લાભ મળશે. અષાઢી બીજથી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે.
અષાઢી બીજના દિવસે પવિત્ર માનસરોવરમાં નવા નીરના વધામણા પણ કરવામાં આવશે.
આરતી સવારે – 7:30 થી 8:00
દર્શન સવારે - 8:00 થી 11:30
બપોરે આરતી બંધ કરવામાં આવી છે
બપોરે દર્શન – 12:30 થી 16:30
સાંજે આરતી -19:00 થી 19:30
દર્શન સાજે - 19:30 થી રાત્રિના 21:00 સુધી મંદિર ખુલ્લું રહેશે
