નેપાળના રાષ્ટ્રપતિએ સંસદ વિસર્જન કરી, મધ્ય-ગાળાની ચૂંટણીઓની જાહેરાત કરી
Live TV
-
નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ સંસદ વિસર્જન કરીને મધ્ય-ગાળાની ચૂંટણીઓની જાહેરાત કરી છે. નેપાળમાં આ વર્ષે 12 થી 19 નવેમ્બરના રોજ મધ્ય-ગાળાની ચૂંટણી યોજાશે. આ અગાઉ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા તથા કેપી શર્મા ઓલીના સરકાર બનાવવાના દાવાને ફગાવી દીધા હતા. તો કેપી શર્મા ઓલી અને વિરોધી બંને પક્ષોએ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીને સાંસદોની સહી સાથે એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. નેપાળના બંધારણ અનુસાર બહુમત ધરાવતા નેતાને રાષ્ટ્રપતી દ્વારા પ્રધાનમંત્રી પદ પર નિયુક્ત કરવામાં આવે છે.
