યુકેની કોર્ટે આપી ભાગેડું નીરવ મોદીના ભારત પ્રત્યાપર્ણ માટેની મંજૂરી
Live TV
-
ભાગેડું નીરવ મોદીના ભારત પ્રત્યાપર્ણ માટેની મંજૂરી યુકેની કોર્ટે આપી દીધી છે. નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકમાંથી 1200 કરોડનો ગોટાળો આચરનાર હિરાનો વેપારી નીરવ મોદી લંડનની જેલમાં કેદ છે. પંજાબ નેશનલ બેન્કમાં મેહુલ ચોક્સી સાથે મળીને 14 હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનારા નીરવ મોદીને યૂકેની કોર્ટે ઝાટકો આપ્યો છે. નીરવ મોદી જાન્યુઆરી 2018માં ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. તેના બાદ ભારત સરકારે નીરવ મોદીને પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયાની શરૂઆત કરી હતી. ભારત પ્રત્યાર્પણ બાદ નીરવ મોદીને આર્થર રોડ જેલની બેરેક નંબર બારમાં રાખવામાં આવશે.
