ઉપરાજ્યપાલે જમ્મુ-કાશ્મીરમાં પર્યટન માટે એક વ્યાપક ભાવિ યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો
Live TV
-
જમ્મુ-કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ પર્યટન ક્ષેત્રને વેગ આપવા અને નવા પર્યટન સ્થળોને ઓળખવા માટે ભાવિની એક વ્યાપક યોજના તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે. ગઈકાલે શ્રીનગરના સચિવાલયમાં પર્યટન વિભાગની સમીક્ષા બેઠકમાં તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર તેની કુદરતી સૌંદર્ય અને આકર્ષક લેન્ડસ્કેપ માટે પ્રખ્યાત છે. તેમણે પર્યટન વિભાગના અધિકારીઓને જમ્મુ-કાશ્મીરના વિવિધ પર્યટન સ્થળો વિકસાવવા કહ્યું, જેમાં સાહસ, ટ્રેકિંગ, યાત્રાધામો, જળ રમતગમતનો સમાવેશ થાય છે.
