કેદારનાથમાં એર લિફ્ટ કરવામાં આવેલું ખામીયુક્ત હેલિકોપ્ટર ક્રેશ
Live TV
-
આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ થતા અટકી હતી, પરંતુ એક પાયલોટ અને ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા
કેદારનાથ ધામમાં કિસ્ટ્રલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી. જેથી MI-17ને હેલિકોપ્ટર દ્વારા તેને એર લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાયર તૂટવાને કારણે કિસ્ટ્રલ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. બાદમાં, રિકવરી ઓપરેશન દરમિયાન Mi-17 હેલિકોપ્ટર દ્વારા તેને ઉપાડવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે જોડાયેલો વાયર તૂટી ગયો હતો અને હેલિકોપ્ટર પહાડો વચ્ચે પડ્યું હતું. જો કે, હેલિકોપ્ટર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું ન હતું, જેથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ પાયલોટ અને અન્ય ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, એસડીઆરએફના જવાનોએ સ્થળ પર હેલિકોપ્ટરનો કાટમાળ શોધી કાઢ્યો હતો.