જમ્મુ-કાશ્મીર: સુરક્ષાદળો સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના પાંચ આતંકીઓ ઠાર
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્વયંભૂ જિલ્લા કમાન્ડર નિશાજ લોન, એક પાકિસ્તાની આતંકવાદી સહિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા. જિલ્લાના રાજપુરા ક્ષેત્રના હાંજીન ગામમાં ગઇકાલ રાતે આ અથડામણ થઇ હતી. આ દરમિયાન સેનાના એક જવાન કાશીરાય બામાનેલ્લી પણ શહીદ થયા.
પોલીસ સૂત્રો અનુસાર આ અથડામણ એ સમયે શરૂ થઇ, જ્યારે એક બાતમીના આધાર પર સુરક્ષાદળોનું એક સંયુક્ત દળ ગામમાં આતંકવાદીઓની હાજરીને ધ્યાનમાં તે વિસ્તારને કોર્ડન કરવા ગયા હતા...જેના પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કર્યું હતું..સેનાની જવાબી કાર્યવાહીમાં આ પાંચેય આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા.
