દેશમાં અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોને અપાઇ વેક્સીન
Live TV
-
દેશમાં કોરોનાની મહામારી સામે લડવા માટે અત્યાર સુધીમાં નાગરિકોને કોવીડની રસીના 30 કરોડ 9 લાખ 69 હજાર 538 ડોઝ આપ્યા.
ભારતે અત્યાર સુધીમાં નાગરિકોને કોવીડની રસીના 30 કરોડ, 9 લાખ, 69 હજાર, 538 ડોઝ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ, ગઈકાલે કોવીડની રસીના 58 લાખ, 34 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. દરમ્યાન ભારતમાં કોવીડના દર્દીઓ સાજા થવાનો દર 96.56 ટકા થયો છે.
➡️દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 30.16 કરોડ ડોઝ લગાવાયા છે.
➡️ભારતમાં છેલ્લા 24 કલાકમાં વેક્સિનના 64.89 લાખ ડોઝ લગાવાયા.
➡️છેલ્લા 24 કલાકમાં ભારતમાં 54,069 નવા કેસ નોંધાયા.
➡️ભારતમાં સક્રિય કેસ ઓછા થઈને 6,27,057 સુધી પહોંચ્યા.
➡️અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 2,90,63,740 દર્દી સાજા થયા.
➡️છેલ્લા સતત 42મા દિવસે દૈનિક નવા કેસોની તુલનામાં દૈનિક રિકવરી વધુ રહી.
➡️રિકવરી દરમાં વધારો, તે 96.61 ટકા પર પહોંચ્યો.
➡️સાપ્તાહિક પોઝિટિવિટી દર પાંચ ટકાથી નીચે જળવાયો. હાલમાં એ 3.04 ટકા છે.
➡️દૈનિક પોઝિટિવિટી દર 2.91 ટકા છે, જે સતત 17મા દિવસે પાંચ ટકાથી નીચે જળવાયો.
➡️તપાસ ક્ષમતામાં ઉલ્લેખનીય વૃદ્ધિ સાથે, અત્યાર સુધી કુલ 39.78 કરોડથી વધુ તપાસો કરવામાં આવી છે.
