દેશમાં રસીકરણ ઝુંબેશને ગતિ આપવા બદલ પ્રધાનમંત્રીએ નાગરિકોને અભિનંદન આપ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તે સૌને અભિનંદન આપ્યા છે જેઓ ભારતની રસીકરણ ઝુંબેશને ગતિ આપી રહ્યા છે. આજરોજ દેશમાં થયેલા રસીકરણની નોંધ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક ટવીટમાં કહ્યું: “ભારતની રસીકરણની ઝુંબેશ ગતિ પકડે છે ! જે લોકો આ પ્રયાસ ચલાવી રહ્યાં છે તેમને અભિનંદન. આપણી પ્રતિબદ્ધતા બધા માટે રસી છે, જે બધા માટે મફત છે. સૌને રસી, મફત રસી”
પ્રધાનમંત્રીએ દેશમાં ચાલી રહેલી રસીકરણ પ્રક્રિયા અને જાગૃતિ માટેના પ્રયાસોને જોતાં પોતાના વિધારો વ્યક્ત કર્યા. કોરોના સામે ટકવા માટે હાલની પરિસ્થિતિમાં રસી જ મોટું શસ્ત્ર છે.
