પ્રધાનમંત્રીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત કબીર દાસજી માત્ર સામાજિક દૂષણો સામે લડ્યા નહોતા પણ તેમણે વિશ્વને માનવતા અને પ્રેમનો પાઠ પણ ભણાવ્યો છે. તેમણે જે માર્ગ સૂચવ્યો છે તે આગામી પેઢીઓને ભાઈચારા અને સદ્ભાવની સાથે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે. પ્રધાનમંત્રીએ સંત કબીર દાસની મગહર ખાતે નિર્વાણ સ્થળની થોડા વર્ષ પૂર્વે લીધેલી મુલાકાતની તસવીરો પણ ટ્વિટ્ટર પર શેર કરી હતી.
