પ્રધાનમંત્રીએ ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી
Live TV
-
પ્રધાનમંત્રીએ સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિખ્યાત ધારાશાસ્ત્રી કેટીએસ તુલસીજીના માતૃશ્રી સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી દ્વારા લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ પ્રાપ્ત કરી. પ્રધાનમંત્રીએ ટ્વીટ્સ કરતા કહ્યું, “વિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કેટીએસ તુલસીજીના માતૃશ્રી સ્વ. શ્રીમતી બલજિત કૌર તુલસીજી દ્વારા લિખિત પુસ્તક ‘રામાયણ ઓફ શ્રી ગુરૂ ગોવિંદ સિંઘજી’ની પ્રથમ નકલ મેળવી. આ પુસ્તકનું પ્રકાશન IGNCA દ્વારા કરવામાં આવ્યું છે. વાતચીત દરમિયાન વિદ્વાન શ્રી કેટીએસ તુલસીજીએ શિખ સંપ્રદાયના ઉમદા સિદ્ધાંતો વિશે કહ્યું હતું અને ગુરબાની શબદનો પાઠ પણ કર્યો હતો. તેમની એ હરકત મને સ્પર્શી ગઈ હતી.
