પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનીઝ ઝેન ગાર્ડન અને કાયઝન એકેડમીનું ઇ-લોકાર્પણ કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્વ મોદીએ આજે અમદાવાદમાં આઇઆઇએમ ખાતે આયોજીત ઝેન ગાર્ડન અને કાયઝેન એકેડમીના ઉદઘાટન સમારંભને વર્ચ્ચુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ જાપાનની આ પરંપરાનો શબ્દસઃ અર્થ સમજાવ્યો હતો. કાયઝેનનો અર્થ છે, નિરંતર સુધાર... પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે ગુજરાતમાં મીની જાપાન ઉભુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગુજરાતમાં 135 જાપાની કંપનીઓ કાર્યરત છે. તેમણે કહ્યું કે જીવનમાં આપણે જ્યાં પણ પહોંચીએ છીએ, જેટલી પણ ઊંચાઈ પ્રાપ્ત કરીએ છીએ, જમીન સાથે આ જોડાણ, હંમેશાં આપણને આપણાં મૂળ સાથે બાંધી રાખે છે.
